ટંકારા તાલુકાના અમરાપર ગામમાં ગયા મહિને કેટલાક અજાણ્યા શખ્સ ત્રાટક્યા હતા અને સીમ વિસ્તારમાં આવેલા વાડા માંથી તસ્કરો જાકીરહુશેન આહમદભાઈ રતનીયા, ઇલ્મુદીનભાઈ અલીભાઈ કડીવાર તથા નજરૂદીનભાઈ અલીભાઈ કડીવાર એમ ત્રણ પશુપાલકોના કુલ 16 બકરા ચોરી કરી લઇ ગયા હતા.પશુપાલક દ્વારા આ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસ આરોપીની શોધખોળ કરી રહીં હતી બીજી તરફ આં આરોપીઓ ચોરાઉ બકરા લઈને અમરેલી જિલ્લામાં ફરિયાદ અને તસ્કરો અમરેલી જિલ્લામાં પકડાઈ જતા ટંકારામાં બકરા ચોર્યાનું કબુલતા ત્રણેય આસામીઓએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

