ટંકારા તાલુકાના વાઘગઢ ગામે વોંકળાના પાણીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
ટંકારા તાલુકાના વાઘગઢ ગામે નરેશભાઈ છગનભાઇ દલસાણીયાની વાડીએ રહેતા ફકરૂભાઈ ધનજીભાઈ બારીયા (ઉ.વ.૬૦)વાળાનું વાઘગઢ ગામના વોંકળાના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.