માળિયા મિયાણા તાલુકાના વેજલપર ગામની સીમમાં આવેલા હાલ.બાબુલાલ જાદવજી સંઘાણીની વાડીમાં રહી મજુરી કામ કરતા મૂળ છોટા ઉદેપુર નસવાડી તાલુકાના પિપરવાડી ગામના વતની રાજુભાઈ ઉર્ફે રાકેશભાઈ કેમાંભાઈ નામના શ્રમિકની પત્ની રંગીતાબેને ગત તા 27ના બપોરના સમયે અચાનક કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતીબનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

