શ્રાવણમાસ પૂર્ણ થવાને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ગણેશ મહોત્સવ ની તૈયારી શરૂ થવા લાગી છે શહેરમાં અલગ-અલગ સંગઠન દ્વારા ગણેશ પંડાલ રાખવામાં આવશે અને 10 દિવસ સુધી ભગવાન ની પૂજા અર્ચના કરી તેને રીઝવવાના પ્રયાસ કરવામાં આવશે ત્યારે મોરબીમાં લિલાપર કેનાલ રોડ પર આવેલા સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા. 19 સપ્ટેમ્બરના અને વિસર્જન તા. 28 સપ્ટેમ્બરના થશે. આ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં લાભ લેવા પટેલ ગ્રૂપ આયોજત ગણેશ મહોત્સવ નિમંત્રણ પાઠવે છે.

