સાતમ-આઠમ ના પર્વ ને હવે માત્ર ૨ દિવસ બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ભરમાં લોક મેળાનો માહોલ જામી રહ્યો છે નાના-મોટા શહેરોમાં લોક મેળા શરૂ થઈ રહ્યા છે ત્યારે વાંકાનેર માં પણ લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ વાંકાનેરના રાતીદેવળી રોડ ખાતેઆયોજીત ક્રિષ્ના લોક મેળાનો વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રીબીન કાપીન પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે બહોળી સંખ્યામાં વાંકાનેર શહેર તથા તાલુકા ના આગેવાનો તથા બહોળી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો ને ફ્રી એક દિવસ માટે લોકો એ મેળાનો આનંદ માણ્યો હતો


