ટંકારાના ઉગામણા નાકા વિસ્તારમાં રહેતા અતુલભાઈ ઉર્ફે વિજયભાઈ બટુકભાઇ ચાવડા નામના 35 વર્ષીય યુવાનને બે દિવસ પહેલા પરિવારમાં વહેલા ઉઠવા મુદે ઠપકો આપતા તેને લાગી આવ્યું હતું અને ગત તા 16 ના રોજ ઘરેથી નીકળી ગયો હતો બાદમાં પરિવારજનોએ અતુલ ગુમ થયી હોવાની પોલીસ મથકમાં ગુમસુદાની ફરિયાદ નોધાવી હતી આ દરમિયાના આજે આ યુવકના મૃતદેહ નસીતપર ગામ નજીક આવેલા ડેમી 2 ડેમમાંથી મળી આવ્યો હતો જેને પીએમ અર્થે ટંકારા સીએચસીમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે ટંકારા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

