અરબી સમુદ્ર સર્જાયેલ બિપરજોય વાવાઝોડું ફૂંકાયું છે અને ધીરે ધીરે ગુજરાતના દરિયા કિનારે આવી રહ્યું છે ત્યારે રાજ્યના દરિયા કાઠા ધરાવતા જિલ્લામાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ત્યારે મોરબી જીલ્લામાં પણ માળિયા મિયાણા તાલુકા માં આવેલ નવલખી અને આસપાસ વિસ્તારમાં માળિયા વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી ગયું હતું માળિયા મામલતદાર ડી જે પંડ્યા અને ટીમ દ્વારા દરિયા કાઠા માં રહેતા પરિવારો ને મળી વાવાઝોડા વિશે માહિતી આપી હતી અને સતર્ક રહેવા જણાવ્યું હતું તેમજ જરૂર પડે તેઓને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેઓને જરૂરી ચીજ વસ્તુ સાથે રાખવા અને સતત હવામાન અંગેના સમાચાર જાણતા રહેવા સૂચના આપી હતી

