મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ કલ્યાણ ટાઈલ્સ નામની ફેક્ટરીના લેબર કવાર્ટરમાં રેહતા અને મજુરી કામ કરતા વિવેકભાઈ ઉર્ફે વીકી રાજુભાઈ નાવડે નામના યુવાને તેના જ કવાર્ટરમાં જ દુપટાથી પંખા સાથે ફંદો બનાવી પોતાની મેળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતા યુવકને સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કરી મૃતદેહના પીએમની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

