મોરબીના સર્કીટ હાઉસ નજીક આવેલ વિદ્યુત નગર વિસ્તારમાં રહેતા અને જીઆરડીમાં ફરજ બજાવતા યોગેન્દ્ર સિંહ હરદેવસિંહ જાડેજા ને એક મહિના પહેલા યુવરાજસિંહ ગોહિલ નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો જેનું મનદુઃખ રાખી તેના ઘર પાસે આરોપી યુવરાજસિંહ અને 2 અજાણ્યા શખ્સે સાથે મળી યુવક પર હુમલો કર્યો હતો અને છરીના ઘા ઝીકી યોગેન્દ્રસિંહને ઈજા પહોચાડી હતી બનાવ બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ જીઆરડી જવાને ત્રણેય આરોપી વિરુદ્દ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે પીએસ આઈ જે એલ ઝાળા એ તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

