મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવતા પીજી ગ્લાસ નામની ફેકટ્રી ૨૦૧૯નાં વર્ષમાં લુંટ અને ત્રિપલ મર્ડર ની ધટના બની હતી જેમાં ૬લોકો વિરુધ્ધ ગુન્હો દાખલ થયો હતો જે તમામ આરોપી નાસતા ફરતા હોય આ ૬ આરોપી પૈકી એક આરોપી મોરબી જિલ્લામાં જેતપર રોડ પર આવેલ સિરામિક ફેક્ટરીમાં મજુરી કામ કરતો હોય ચોક્કસ બાતમી આધારે મોરબી એલસીબી ની ટીમે દરોડો પાડયો હતો અને મૂળ બોટાદ જિલ્લાના બરવાળા વતની કરણ ઉફેઁ કરનીયો માંધુભાઈ કાવઠીયાને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત આપતા પોલીસે અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને તેને સોપવા તજવીજ હાથ ધરી હતી.

