મોરબીમાં રહેતી એક સગીરાને યુપીના ફિરોદા બાદ જિલ્લાના બડગાવનો વતની સંજય ચંદનસિંહ ચાદર નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ને લઇ ગયો હતો જે અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે અપહરણનો ગુન્હો નોંધી સગીરા અને આરોપી યુવકની શોધખોળ હાથ ધરી હતી આરોપીની તપાસ કરતા બાતમી મળી હતી કે આરોપી યુવક અને સગીરા ઉતર પ્રદેશનાં નોઇડા વિસ્તારમાં હોય પોલીસને મળેલી બાતમી આધારે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે ની એક ટીમ બનાવી દિલ્હી તેમજ નોઇડા (યુ.પી) ખાતે મોકલતા નોઇડાથી ભોગબનનાર સગીરવયની છોકરી તથા આરોપી મળી આવતા તેઓને મોરબી સીટી એ ડીવીઝન પોલિસ મથક લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

