મોરબી શહેરમા વસતા ખવાસ રજપૂત દ્વારા અગ્નેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી ખવાસ સમાજ યુવક મંડળ મોરબી દ્વારા 22 જાન્યુઆરીના રોજ સવારે ૯થી બપોરે 2 વાગ્યા સુધી અગ્નેશ્વર મહાદેવ મંદિર એલ ઈ કોલેજ રોડના મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં કાર્ડ કઢાવવા માંગતા લોકોએ મામલતદાર કચેરીનો આવક દાખલો પરિવારના તમામ સભ્યોનું આધાર કાર્ડ અને રાશનકાર્ડ સાથે લાવવા અનિલભાઈ રાઠોડ અને વિજયભાઈ હાડાએ જણાવ્યું હતું

