તારીખ 8 1 2023 ને રવિવારના રોજ ગોકુલ ફામ રવાપર રોડ પર રાખેલ હતો આ કાર્યક્રમ નિ શુભ શરૂઆત નકલંક મંદિર ના મહંત દામજી ભગતના કર કમલે દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં કોરાના કાળ અને ઝૂલતા પુલ નિ દુર્ઘટનામાં ભોગ બનેલ તેમજ આપણા દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માતૃશ્રી હીરાબા ને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ આ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ મા ઘણા બધા નાના બાળકોથી માંડી મોટી બહેનોના રાસ ,દેશભક્તિના ગીતો સારી રીતે રજૂ કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં નવા પ્રમુખ મંત્રી ની નિમણૂક પણ કરવામાં આવેલ દામજી ભગતના હસ્તે બાળકોને ઇનામ વિતરણ કરેલ આ ગ્રુપ ની એક વિશિષ્ટતા છે કે આ ગ્રુપ મા બગથલા ના સર્વ જ્ઞાતિ ના ભાઈઓ આં ગ્રુપ નાં સભ્યો છે.
આ કાર્યક્રમ મા શિલ્ડ નાં દાતા પ્રાણજીવન ભાઇ ઠોરિયા અને ગિફ્ટ નાં દાતા ચંદુલાલ ભાઇ ઓઢવિયા હતા.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા એ કે. ઠોરિયા,દિલીપભાઈ,ગિરીશ ભાઇ થોરીયા,નવનીત ભાઇ વડનાગ્રા, બલદેવ ભાઇ મેરજા,કલ્પેશ ભાઇ મસોત એ મહેનત કરી હતી. આ કાર્યક્રમ નું સફળ સંચાલન આરતીબેન રોહન ભાઇ રાંકજા એ કરેલ.

