રાજ્યમાં તમામ ક્ષેત્રે વિકાસ કરવા અને ગુજરાતી કોઈ પણ ભય વિના હારી ફરી શકે તેવા વાયદા સાથે નવી સરકારે આજે સીએમ અને અન્ય મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો
આ સમારોહમાં રાજયભરમાંથી કાર્યકરો અને આગેવાનોમોરબી થી પણ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા જેમાં હસુભાઈ સૉરીયા અને ચિરાગ કાલરિયા પણ ગાંધીનગર પોંચ્યા હતા. સાંજે સમારોહમાંથી આ આગેવાનો ભાજપના કાર્યકરો સાથે કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે હળવદના સુંદરગઢ નજીક અજાણ્યા શખ્સોએ તેમની કાર પર પથ્થરમારો કરી લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો.ઘટના બાદ કાર ચાલકે કાર ઉભી રાખવાને બદલે ત્યાંથી રવાના થઈ ગયા હતા અને સુરક્ષિત જગ્યા પહોંચી અન્ય લોકોને જાણ કરી હતી.

