મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા જીવણ રમેશ સનુરા નામના ઘરછોડી જતા રહેતા તેના બાળકોની ખબર પુછવા જીવણ તથા તેના પિતા રમેશભાઇ બચુભાઇ અને મોટાભાઇ નવઘણભાઇ ગયા હતા જે વાત વિઠ્ઠલભાઇ બચુભાઇ સનુરા , અજય ઉર્ફે વિક્રમ વિઠ્ઠલભાઇ સનુરા સારું ન લાગતા તેઓએ આજદીન સુધી કોઇ જાતનો વહેવાર નથી તો શા માટે સારૂ લગાડવા આવેલ છો તેમ કહી ગાળો બોલી હતી તેમજ પિતા પુત્ર પર ધોકા પાઈપ સહિતના હથીયાર વડે હુમલો કરી માથામાં તથા હાથમાં માર મારી ઇજાઓ કરી તેમજઆરોપી દેવજી વિઠ્ઠલભાઇ સનુરાએ સાહેદ નવઘણભાઇને લાકડી વડે માથામાં ઇજા કરી જાનથી માર નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

