વાંકાનેર તાલુકાના આગભી પીપળીયા ગામની સર્વે નંબર ૪૨૦ પૈ.૭ ૩૧૬-૦૮-૩૦ ચો.મી. જમીન પર ગામના મનજીભાઇ રાયમલભાઇ જખાનીયા, જીતુભા ભરતસિંહ જાડેજા,પમાભાઇ દેવશીભાઇ પરમાર નામના શખ્સોએ ગેરકાયદે ક્બ્જો કરી પોતાના અંગત હેતુ માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ અંગે ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર કચેરીમાં રજૂઆત કરતા વાંકાનેર મામલતદાર કચેરીના ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે તપાસ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

