ટંકારા નજીકના જબલપુર ગામના વતની સુંદરજી ભાઈ પરસોતમભાઈ બોડા પરિવાર ઉપર ભારે કરૂણાતીકા સર્જાયેલ છે તેમના ઉપર કુદરતનો કાળો કોપ થયેલ છે. આભ ફાટ્યું હોય તેમ દુઃખના ડુંગરો તૂટીને પડ્યા છે
મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં બોડા પરીવાર ની ચાર પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજના કરુણ મૃત્યુ થયેલ છે. બોડા પરિવારના કુટુંબીજનો જ નહી પરંતુ સમગ્ર જબલપુર ગામ હિબકે ચડ્યું છે. સમગ્ર ગ્રામજનો ભારે આક્રંદ કરી રડી રહેલ છે .બનાવને જાણ થાય ત્યારથી લોકો રડી રહેલ છે મૃતકજનોમાં દીકરીઓ
1 ઈલાબેન મહેશભાઈ છત્રોલા રોહીશાળા 2 ધારાબેન હરેશભાઈ અમૃતિયા ખાનપર 3 શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા કેરાળા
4 એકતાબેન ચિરાગભાઈ જીવાણી ખાનપર
જમાઈ
1 મહેશકુમાર નાગજીભાઈ છત્રોલા રોહીશાળા
2 હરેશભાઈ માવજીભાઈ અમૃતિયા ખાનપર
3 ભાવિક કાંતિલાલ દેત્રોજા કેરાળા ભાણેજ
1 નૈતિક મહેશભાઈ છત્રોલા રોહીશાળા 2જૈનવી હરેશભાઈ અમૃતિયા ખાનપર
3 ભૂમિ હરેશભાઈ અમૃતિયા ખાનપર
4 કુંજલ શૈલેષભાઈ રૈયાણી ખાનપર
5 આરવ ભાવિક દેત્રોજા કેરાળા
કુલ 12 વ્યક્તિઓના કરુણ મૃત્યું થયેલા છે. સમગ્ર ટંકારા તાલુકામાં દુઃખની લાગણી ફેલાયેલ છે.

