એક તરફ દિવાળીના પાવન અવસર પર લોકો રાજી ખુશીથી તહેવાર ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ મોરબીમાં અપમૃત્યુના સિલસિલા યથાવત જોવા મળી રહ્યા છે બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ વિસ્તાર આવેલ મેટ્રોપોલ સીરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા દામભાઇ ઇકબાલભાઇ ખોખર નામના 30 વર્ષના યુવાને કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા ફેક્ટરીમાં રહેતા પાડોશીઓ તેણે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં ડોકટરે મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

