કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને રિયલિટી શો બિગ બોસ 16માંથી ફિલ્મ નિર્માતા સાજિદ ખાનની હકાલપટ્ટીની માંગણી કરીને પત્ર લખ્યા બાદ, દિલ્હી કમિશન ફોર વુમન (DCW)ના વડા સ્વાતિ માલીવાલે બુધવારે આરોપ લગાવ્યો કે તેને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકીઓ મળી રહી છે.

દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ સેલને ફરિયાદ થઈ છે. DCW વડાએ કહ્યું કે તેણીએ આ મુદ્દાને ફ્લેગ કર્યા પછી તેને સોશિયલ મીડિયા પર બળાત્કારની ધમકીઓ મળી રહી છે. તેણીએ માંગ કરી હતી કે પોલીસ એફઆઈઆર નોંધે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરે.
eસ્વાતિ માલીવાલે ટ્વીટદિલ્હી પોલીસને આપી ફરિયાદ સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને લખ્યું, જ્યારથી મેં સાજિદખાનને બિગ બોસમાંથી બહાર કાઢવા માટે I AND B મંત્રીને પત્ર લખ્યો છે, ત્યારથી મને Instagram પર દુષ્કર્મની ધમકી આપવામાં આવી રહી છે. દેખીતી રીતે તેઓ અમારું કામ રોકવા માંગે છે. હું દિલ્હી પોલીસને ફરિયાદ આપી રહી છું. FIR નોંધો અને તપાસ કરો. જેની પાછળ છે તેમની ધરપકડ કરો!

