HomeNationalવાહ! કાશ્મીરમાં લગભગ 1.62 કરોડ પ્રવાસીઓ મુલાકાતે આવ્યા

વાહ! કાશ્મીરમાં લગભગ 1.62 કરોડ પ્રવાસીઓ મુલાકાતે આવ્યા

જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં લગભગ 1.62 કરોડ પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે ગુરુવારે આ માહિતી આપી. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, જમ્મુ અને કાશ્મીર સરકારના સૂચના અને જનસંપર્ક નિર્દેશાલય (DIPR) એ કહ્યું કે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસીઓની સંખ્યા ભારતની આઝાદી પછી સૌથી વધુ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શ્રીનગરમાં આશરે રૂ. 2,000 કરોડની કિંમતની 240 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાના એક દિવસ બાદ આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે.

લગભગ ત્રણ દાયકા બાદ કાશ્મીર ફરી લાખો પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. પ્રવાસન અધિકારીઓનું કહેવું છે કે આ કાશ્મીર પર્યટનના સુવર્ણ યુગમાં પરત ફરવાનું છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેતા પ્રવાસીઓની રેકોર્ડ સંખ્યા કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલા સમગ્ર વિકાસ અને પરિવર્તનની સાક્ષી આપે છે. જમ્મુ અને કાશ્મીરમાં પર્યટન એ રોજગારનો સૌથી મોટો સ્ત્રોત છે અને જાન્યુઆરી 2022 થી, 1.62 કરોડ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી છે, જે આઝાદીના 75 વર્ષમાં સૌથી વધુ છે.

જમ્મુ અને કાશ્મીર ખીણ સહિત પુંછ, રાજૌરીના વિવિધ વિસ્તારોમાં પર્યટનથી મહત્તમ રોજગારી સર્જાઈ છે. છેલ્લા 70 વર્ષથી લોકો જમ્મુ-કાશ્મીરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની માંગ કરી રહ્યા હતા. આ લોકપ્રિય માંગને પૂર્ણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરથી શારજાહની સીધી ફ્લાઈટ શરૂ કરી. અગાઉ શ્રીનગર અને જમ્મુથી નાઈટ ફ્લાઈટ ન હતી પરંતુ હવે જમ્મુથી શ્રીનગર માટે રાત્રે પણ ફ્લાઈટ ઉપલબ્ધ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW