Thursday, November 30, 2023
HomeBussinessનકલી દવા સામે લગામ ખેચવા મોટો નિર્ણય, QR કોડથી જાણી શકાશે અસલિયત

નકલી દવા સામે લગામ ખેચવા મોટો નિર્ણય, QR કોડથી જાણી શકાશે અસલિયત

Advertisement
Advertisement

ઉપભોક્તા ટૂંક સમયમાં તપાસ કરી શકશે કે તેઓએ ખરીદેલી દવા સલામત છે અને નકલી નથી. બનાવટી અને ગૌણ દવાઓના ઉપયોગને રોકવા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સરકાર સૌથી વધુ વેચાતી દવાઓ માટે ‘ટ્રેક એન્ડ ટ્રેસ’ સિસ્ટમ દાખલ કરવાની યોજના ધરાવે છે.

સારો પ્રયાસ અમલમાં મુકાશે:

આ અંતર્ગત, પ્રથમ તબક્કામાં, ફાર્માસ્યુટિકલ કંપનીઓ 300 સૌથી વધુ વેચાતી દવાઓના પ્રાથમિક ઉત્પાદન પેકેજિંગ લેબલ પર બારકોડ અથવા QR (ક્વિક રિસ્પોન્સ-QR) કોડ પ્રિન્ટ અથવા પેસ્ટ કરશે. પ્રાથમિક ઉત્પાદન પેકેજીંગમાં બોટલ, કેન, જાર અથવા ટ્યુબનો સમાવેશ થાય છે જેમાં વેચાણ માટે દવાઓ હોય છે.

નકલ સામે લાગમ: આમાં એન્ટિબાયોટિક્સ, કાર્ડિયાક, પેઇન-રિલીવિંગ પિલ્સ અને એન્ટિ-એલર્જિક દવાઓનો સમાવેશ થાય છે જેની MRP પ્રતિ સ્ટ્રીપ રૂ. 100 થી વધુ છે. જો કે, આ પગલા માટેનો ઠરાવ એક દાયકા પહેલા લેવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક ફાર્મા ઉદ્યોગમાં જરૂરી તૈયારીઓના અભાવે તેને અટકાવી દેવામાં આવ્યું હતું. નિકાસ માટેની ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમ પણ આવતા વર્ષના એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં બજારમાં નકલી અને સબસ્ટાન્ડર્ડ દવાઓના ઘણા કિસ્સા સામે આવ્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW