HomeNationalકેનેડા એ કહ્યું, ભારતમાં પાક. બોર્ડર નજીક ના જતા, હુમલાનું જોખમ

કેનેડા એ કહ્યું, ભારતમાં પાક. બોર્ડર નજીક ના જતા, હુમલાનું જોખમ

કેનેડાએ ભારતમાં આતંકી હુમલાની શક્યતા દર્શાવીને તેના નાગરિકોને ભારતની મુલાકાત સમયે પંજાબ, રાજસ્થાન, ગુજરાત ન જવા સલાહ આપી છે. કેનેડાની સરકારે બહાર પાડેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતના ત્રણ સરહદી રાજ્યો પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં આતંકી હુમલાનો ખતરો હોવાનું જણાવી તેના દેશના નાગરિકોને આ ત્રણ રાજ્યોની મુલાકાત નહીં લેવા સલાહ આપી છે.

કેનેડામાં હિન્દુ મંદિરો અને હિન્દુઓ પર થયેલા હુમલામાં ભારતે આકરું વલણ લીધું હતું અને કેનેડામાં હેટ ક્રાઇમની ઘટનાઓ પ્રત્યે મોદી સરકારે કેનેડાની જસ્ટીન ટુડો સરકારને આકરા સંદેશામાં ભારતીય મંદિરો અને મૂળ ભારતીય સહિતના નાગરિકોની સુરક્ષા માટે જણાવ્યું હતું.

જવાબમાં કેનેડાએ આ એડવાઈઝરી બહાર પાડી છે સાથોસાથ જણાવ્યું છે કે જો જરુર ન હોય તો મણીપુર, આસામ જેવા પૂર્વોતર રાજ્યોમાં પણ પ્રવાસ કરવો જોઇએ નહીં. આ એડવાઈઝરી 23 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW