HomeNationalભારતીય સેના થશે વધુ મજબૂત, 100 નવી તોપ ખરીદશે

ભારતીય સેના થશે વધુ મજબૂત, 100 નવી તોપ ખરીદશે

લદ્દાખમાં ગલવાન હિંસા પછી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનના આક્રમક વલણને જોતાં ભારતીય સૈન્યે પણ નક્કર તૈયારીઓ કરી છે. આ ક્રમમાં હવે સૈન્ય વધુ ૧૦૦ ઓટોમેટિક કે-૯ વજ્ર તોપ ખરીદશે. ઉત્તરીય સરહદો પર તૈનાતી માટે કે-૯ વજ્ર તોપ સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી ખાનગી કંપની લાર્સન એન્ડ ટુબ્રો બનાવશે.

મે ૨૦૨૦માં સરહદ પર ચીનના સૈનિકો સાથેની અથડામણ પછી સૈન્યે પૂર્વીય લદ્દાખમાં આ તોપ તૈનાત કરી છે. આ તોપને રણ વિસ્તારમાં લડવા માટે બનાવાઈ હોવા છતાં તેને એવી રીતે સજ્જ કરાઈ છે કે તે શૂન્ય તાપમાનમાં પણ લડી શકે છે. આ ગને તેની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને સૈન્યે પૂર્વીય લદ્દાખમાં ૨૦ ગન સાથે સંપૂર્ણ એક રેજિમેન્ટ તૈનાત કરી. સૂત્રોનું કહેવું છે કે સૈન્ય એલએન્ડટી પાસેથી કુલ ૨૦૦ કે-૯ વજ્ર ખરીદવા તૈયાર છે, પરંતુ પહેલા ઓર્ડર હજુ ૧૦૦ તોપનો જ હશે.

એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે વધુ ૧૦૦ વજ્ર તોપનો ઓર્ડર કરવા માટે સંરક્ષણ મંત્રાલયમાંથી મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં જ પ્રસ્તાવ માટે એલએન્ડટીને પ્રસ્તાવ માટે વિનંતી કરાશે. ત્યાર પછી ખર્ચ પર વાત થશે. અમે સંપૂર્ણ પ્રક્રિયાને ઝડપી બનાવીશું. શરૂઆતમાં આ તોપ રણ વિસ્તાર માટે ખરીદવામાં આવી હતી, પરંતુ પાછળથી તેની ઉપયોગીતાને જોતાં સંખ્યા વધારવા અંગે નિર્ણય લેવાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW