મોરબી શહેરમાં વાવડી રોડ વિસ્તારમાં કૃષ્ણનગર 2 માં જાહેરમાં કેટલાક શખ્સ સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પ્રભુભાઈ ભગવાનભાઈ ચાવડા, નિલેશ ધરમશી છત્રોલા, રમેશ જીવરાજ પરમાર, કિશોર નાથા પરમાર, રાકેશ રમેશ પરમાર અને જીજ્ઞેશ મોહનભાઈ નાગપરાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રુ. 33,250 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો, આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

