જે પી નડ્ડાની રાજકોટની રેલીમાં બુધવારે સીઆર પાટીલે આમ આદમી પર આડકતરો પ્રહાર કર્યો હતો.ભાજપના પ્રદેશ અધ્યક્ષે પોતાના સંબોધનમાં આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ હતું. ગુજરાતની પ્રજા પોતાના પરિવારનું ગુજરાન પરસેવો પાડીને કરે છે. એ મફત રેવડીમાં નહિ આવે.
સીધો ટોણો: કેટલાક લોકો શાંત પાણીને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જે લોકોની ડિપોઝિટ ગઈ છે તે ગુજરાત જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લોકોની ડિપોઝિટ ગઈ છે તે ગુજરાત જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે.આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વડોદરામાં હતા. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતના પ્રવાસે હતા. જેપી નડ્ડા એ રાજકોટ અને મોરબીમાં રોડ શો કર્યો હતો.

