HomeGujaratમોરબીમાં બુધવારે દેશભક્તિનો અનોખો મેગા મેજીકલ ડ્રામા કાર્યક્રમ યોજાશે

મોરબીમાં બુધવારે દેશભક્તિનો અનોખો મેગા મેજીકલ ડ્રામા કાર્યક્રમ યોજાશે

સાંઈરામ દવે સહિત 120 કલાકારો સાથે વિરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 7 મી સપ્ટેમ્બરના રોજ મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ખાતે વિરાંજલી કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ દેશભક્તિનો અનોખો મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમ છે જેમાં સાઈરામ દવે સહિત 120 કલાકારો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજ્યમંત્રી મેરજાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં રાજ્યમંત્રીએ સંબંધિત વિભાગોને માર્ગની સફાઈ, ડાયસ, બેઠક વ્યવસ્થા, ગ્રાઉન્ડ સફાઈ તથા અન્ય તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી અને એનજીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા મોરબી શહેર-જીલ્લાના વધુમાં વધુ લોકો શૌર્ય અને વિરાંજલીના આ કાર્યક્રમમાં સહભાગી બને તેવું આયોજન કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં રાજ્યમંત્રી સાથે જીલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક સહિત જીલ્લાના પદાધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW