દેશભરમાં તા 13 થી 15 ઓગસ્ટ દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર ત્રિરંગાલગાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું મોરબીમાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘરે કામના સ્થળે તેમજ વાહનમાં ત્રિરંગાને શાન પૂર્વક લગાવ્યો હતો જોકે હવે 15 ઓગસ્ટ બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે જરૂરી છે.

આ માટે મોરબી ક્રાંતિકારી સેના દ્વારા અલગઅલગ 30 સ્થળ પર રાષ્ટ્રધ્વજ એકત્રીકરણ અભિયાન ચલાવ્યુ છે અને છેલ્લા એક સપ્તાહમાં 30 જેટલા સેન્ટરમાં 10 હજારથી વધુ ત્રિરંગા એકત્ર કરવામાં આવ્યા હતા અને સન્માનપૂર્વક સાચવવામાં આવ્યા છે

