મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસ પરા રહેતા પ્રવીણ લાભુ સોલંકી નામના યુવાને પોતાના જ ઘરમાં અગમ્યકારણસર ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો ઘટનાની જાણ યુવકના કાકા દિનેશભાઇને થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પીએમ અર્થે મોકલી દીધો હતો બનાવ અંગે બી ડિવિજન પોલીસ આપઘાત મોત અંગે નોંધ કરી હતી. મૃતકે કયા કારણસર પગલું ભર્યું તે અંગે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે

