મોરબીના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માળીયા (મીં) શહેરમાં હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં માળીયા પોલીસ સ્ટેશન થી મેઈન બજાર શેરીઓ ગલિયો માં દેશ ભક્તિ ધૂન, નારાઓ, તેમજ દેશ ભક્તિ સુત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા. આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં શહેરીજનો,અધિકારીઓ, આગેવાનો, પોલીસ સ્ટાફ,વેપારીઓ,શિક્ષકો વિદ્યાર્થીઓ મહિલાઓ વગેરે જોડાઈ ઘર, દુકાન, બજાર, શેરી, ગલિયો માં તિરંગા ને સમ્માન સહિત લેહરાવી હર ઘર તિરંગા યાત્રા ને સફળતા પૂર્વક યોજી માળીયા મિયાણા શહેરે દેશ ભક્તિની મિશાલ આપી હતી.
આ હર ઘર તિરંગા યાત્રામોરબી હેડ કર્વાટર ડી.વાય.એસ.પી. મુનાફખાન પઠાણ ,ટીડીઓ રીઝવાન કોંઢીયા, માળીયા શહેર પ્રભારી જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ ભાજપ સંગઠન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ કાર્યકારી સદસ્ય હર્ષિતભાઈ કાવર માળીયા શહેર પ્રમુખ ઈલિયાસભાઈ, મહામંત્રી હનીફભાઇ, આવેશભાઈ તથા જિલ્લા મહામંત્રી બાબુભાઇ હુંબલ, રમેશભાઈ રાઠોડ,પ્રવીણ અરજણભાઈ વગેરે મહાનુભવીઓએ હાજરી આપી હતી.

