HomeGujaratધોરાજી જેતપુર હાઇવે બન્યો મણકાતોડ માર્ગ, ફૂલહાર આપીને કર્યો વિરોધ

ધોરાજી જેતપુર હાઇવે બન્યો મણકાતોડ માર્ગ, ફૂલહાર આપીને કર્યો વિરોધ

જેતપુર રોડની હાલત ખૂબજ કફોડી બની ગઈ છે. આમ છતાં શાસકો કોઈ જ પગલા લેેતા નથી. જયાં જૂઓ ત્યાં ખાડા રાજ જોવા મળે છે. આજે આ રસ્તાની તકલીફને ઉજાગર કરવા વેપારીઓ ગુલાબના ફૂલ લઈને રોડ પર ઉતરી આવ્યા હતા. જેટલા લોકો ખાડા પસાર કરીને જેતપુર રોડ પરથી આવતા હતા એ બધાને અટકાવી ગુલાબના ફૂલો આપી રસ્તા પર હેમખેમ પસાર થવા બદલ અભિનંદન આપતા હતા ! આ નવતર પ્રયોગથી લોકોમાં હાસ્યનું મોજું ફેલાયું હતુ.

અનોખો વિરોધ: જોકે આ કોઈ શુભેચ્છાના ફૂલ ન હતા, વિરોધ પ્રદર્શન કરીને હાઇવે ઓથોરિટી સામેનો કટાક્ષ હતો. ધોરાજી જેતપુર રોડ પર એકની એક સમસ્યા એ છે કે રસ્તામાં મોટા મોટા ખાડા પડી જાય છે.છતા એનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. સામાન્ય વરસાદમાં પણ રસ્તા ધોવાઈ જાય છે. અને મોટા મોટા ખાડા પડી જાય છે. આ રસ્તા મુદ્દે અવારનવાર ચકકાજામ સહિતના કાર્યક્રમો થઈ ચૂક્યા છે. પણ શાસકો કોઈ જ વિશેષ પગલા લેતા નથી. તેમજ દર વર્ષે સ્ટેટ હાઈવે ઓથોરિટી રસ્તા નવા બનાવે છે પણ તકલાદી રસ્તાઓ બનાવવામાં આવતા હોવાથી રસ્તાની વેલીડીટી ચોમાસા પહેલા જ પુરી થઈ જાય છે. રસ્તામાં મોટા મોટા ખાડા પડી જાય છે. જે ચાર ચાર માસ સુધી રિેપેર થતા નથી. જેથી હાલાકીનો સામનો વાહન ચાલકોએ કરવો પડે છે.

મણકાતોડ માર્ગ: ખાડા એટલા મોટા હોય છે કે લોકોના મણકાં ખસી જાય એવી હાલત થઈ જાય છે. હવે આ રસ્તાનો કાયમી ઉકેલ લાવવામાં આવે એવી વેપારીઓની માગણી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW