સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કેન્દ્રની ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે સરકારે દૂધ અને દહીં સહિત ઘણી વસ્તુઓ પર GST લગાવ્યો. કૃષ્ણ જન્માષ્ટમીના બરાબર એક મહિના પછી દૂધ, દહીં અને છાશ પર જીએસટી લાદતા કૃષ્ણભક્તોને નુકસાન થયું છે. તેમણે ટોણો મારતા કહ્યું કે હવે શું દૂધ અને દહીંમાંથી બનેલી વસ્તુઓ પર ચૂકવવો પડશે GST?
અખિલેશ યાદવે ગુરુવારે સવારે એક ટ્વિટ કર્યું હતું. અખિલેશ યાદવે લખ્યું કે, ભાજપ સરકારે દૂધ, દહીં, છાશ પર જીએસટી લગાવીને કૃષ્ણભક્તોને જે ઈજા પહોંચાડી છે તેનાથી દરેક કૃષ્ણભક્તને દુઃખ થઈ રહ્યું છે,હવે દૂધ સળગાવવું, છાશ પણ… દૂધ કા દૂધ… દુધો નહાઓ… દહીં જામવુ જેવી કહેવતો પર જીએસટી ભરવો પડશે?
जय श्री कृष्णा!
— Akhilesh Yadav (@yadavakhilesh) July 21, 2022
जन्माष्टमी के ठीक एक महीने पहले भाजपा सरकार ने दूध, दही, छाछ पर GST लगाकर जो चोट कृष्ण भक्तों को दी है, उससे आहत होकर हर एक भोला कृष्ण भक्त पूछ रहा है कि क्या अब दूध का जला, छाछ को भी… दूध का दूध…दूधो नहाओ…दही जमना जैसे लोकोक्ति-मुहावरों पर भी GST देना पड़ेगा?
કેન્દ્ર સરકારે આ જુલાઈથી દૂધ, દહીં અને છાશ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ પર GST લાદ્યો છે. પરિણામે, આ માલના ભાવમાં વધારો થયો. દૂધ, દહીં અને છાશના ભાવમાં પાંચથી દસ ટકાનો વધારો થયો છે.

