HomeNationalરાકેશ ઝુનઝુનવાલાની એર લાઈનને ગ્રીન સિગ્નલ, જાણો ક્યારથી શરૂ

રાકેશ ઝુનઝુનવાલાની એર લાઈનને ગ્રીન સિગ્નલ, જાણો ક્યારથી શરૂ

દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત અકાસા એર વિશે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુરુવારે ઉડ્ડયન નિયમનકાર DGCA એ કંપની માટે એરલાઇન લાઇસન્સ મેળવ્યું છે. ત્યારબાદ હવે એરલાઇન વિમાનોનું સંચાલન શરૂ કરી શકે છે.

આ મહિને શરૂ થવાના એંધાણ: Akasa Air આ વર્ષે જુલાઈથી કોમર્શિયલ પરિચાલન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને એક ‘QP’ કોડ આપવામાં આવ્યો છે, જેની જાણકારી તેમણે પોતે થોડાક દિવસો પહેલા આપી હતી. ત્યારબાદ કંપનીએ એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું, ‘QP, હવે પાર્ટી શરૂ થઈ ગઈ છે.’ તેની સાથે કંપનીએ કેપ્શન આપ્યું હતું… પોતાની એરલાઇન કોડ ‘QP’ જાહેર કરતાં ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે.

એરલાઈને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આ લાઇસન્સ મેળવવું અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમને અમારી ફ્લાઈટ્સનું પરિચાલન અને વ્યવસાયિક કામગીરી શરૂ કરવાની મંજૂરી આપે છે. નિવેદન અનુસાર, એરલાઈને બ્રાન્ડિંગ માટે સનરાઈઝ ઓરેન્જ અને પેશનેટ પર્પલ કલર પસંદ કર્યો છે, જે હૂંફ અને ઉર્જાને પ્રદર્શિત કરે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW