મોરબી – નવલખી રોડ થી ગોર ખીજડીયા દેરાળા – નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવે ને જોડતો રસ્તો બિસ્માર હાલત માં છે.આ રોડ વચ્ચે ના ગામો ને મોરબી તેમજ માળિયા તાલુકા મથકે જવા માટે ગામો ને જોડતો ખુબજ અગત્ય નો રસ્તો છે. જેને તાત્કાલિક રીપેર કરવો પડે તેવી હાલત માં છે.રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા અવાર નવાર સમચારપત્રો અને વેબસાઈટમાં સમાચાર આપી જુદા જુદા રસ્તા ઓ મંજુર કરવતા હોવાના દાવા કરે છે આ ભ્રામક સમાચારોમાંથી કેટલા માર્જોગ નવા બન્યા અને તેમાંથી કેટલા ચાલવા યોગ્ય બન્યા તે અંગે પણ તપાસ જરૂરી છે. મોરબી જિલ્લા દરિયાકાઠા વિસ્તાર જેવા કે વવાણિયા , બગસરા, જાજાસર માળિયા રોડ ને100 કરોડ કરતા વધારે ના ખર્ચે મંજુર કરાવતા હોય છે તો મોરબી તાલુકાવિસ્તરમાં વિસ્તારમાં આવતા ગોરખીજડીયા દેરાળા નવાગામ વગેરેને જોડતા માર્ગ એટલો ખર્ચ પણ નથી અને ઘણા લોકોને ઉપયોગી આ રોડ છે. તો તેને શા માટે ? મંજુર કરાવી ને કામ કરાવતા નથી તેvi ગ્રામ્ય વિસ્તારમાં ફરિયાદ ઉઠી છે
આ બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને કોંગી આગેવાન કે ડી બાવરવાએ સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી ગોર ખીજડીયા દેરાળા અને નવાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારને નવલખી મોરબી સ્ટેટ હાઈવે સાથે જોડતા માર્ગ રીપેર કરવા તેમજ જરૂર પડ્યે નવા બનાવવા માંગણી કરી છે

