આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીરના બાલતાલની પવિત્ર ગુફા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ ટુકડો રવાના થયો હતો. યાત્રાની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આતંકવાદી ખતરાને જોતા અહીં જવાનો સંપૂર્ણ રીતે તૈયાર છે.
પુરતી સુરક્ષા: આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીરના બાલતાલની પવિત્ર ગુફા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ ટુકડો રવાના થયો હતો. યાત્રાની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુસાફરોની સુરક્ષા માટે CRPFના બાઇક સ્ક્વોડ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આતંકવાદી સંગઠન લશ્કરે અગાઉ પણ અમરનાથ યાત્રામાં અવરોધ ઉભો કરવાની ધમકી આપી છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળો સંપૂર્ણપણે સતર્ક છે.

બે રૂટ શરૂ: એક માર્ગ પહેલગામનો છે અને બીજો માર્ગ સોનમર્ગ બાલતાલનો છે. અમરનાથ પહેલગામથી 28 કિલોમીટર છે, જ્યારે બાલતાલથી આ અંતર લગભગ 14 કિલોમીટર છે. જોકે, પ્રવાસીઓ પહેલગામના માર્ગને વધુ અનુકૂળ માને છે.

