મોરબીના નેશનલ હાઇવેથી જેતપર રોડને જોડતા સીગલ ટ્રેકરોડ પર ગાળા ગામ નજીક આવેલ પુલ અંત્યત જર્જરિત છે અગાઉ અનેક વખત રજૂઆત બાદ આ પુલ રીપેરીંગ કરવા મંજુરી મળી ગઈ હતી જોકે આજદિન સુધી તે રીપેર કરવામાં ન આવતા આજદિન સુધી રીપેર કરવામાં ન આવતા અવાર નવાર વાહન અકસ્માતનો ભોગ બની રહ્યા છે ગત મંગળવારે રાત્રે પણ આવી જ એક દુર્ઘટના બની હતી. જેમાં રસ્તા ખરાબ હોવાના કારણે અચાનક બેકાબુ થઇ ગયા હતા અને પુલ પર લટકાઈ ગયો હતો. ઘટના બાદ ગ્રામ જનો દોડી ગયા હતા ઘટના બાદ મહા મહેનતે ડ્રાઈવરને બહાર કાઢી શકાયો હતો તો મોડી રાતે અને બે ક્રેનની મદદ લઇ ટ્રક બહાર કાઢવામાં આવ્યો હતો. રોડ પર અનેક વાર આવા નાના મોટા અકસ્માત થવા છતાં જિલ્લા પંચાયતનો માર્ગ મકાન વિભાગ શા માટે કામગીરી નથી કરતું તે એક સવાલ છે.

