ગુજરાતને બદનામ કરનારી ત્રણેય લોકો વિરુદ્ધ ગુજરાત એટીએસે કાયદાની કલમ 194, 211, 218, 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. 2002ના રમખાણ બાદ એફિડેવિટમાં ખોટી સહીઓનો મામલો પણ નોંધાયો છે.
વિદેશી ફંડનો મામલો: ગુજરાત એટીએસની ટીમ વિદેશી ફંડિંગ મામલે તિસ્તા સેતલવાડની મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ કાર્યાલય લાવવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની ધરપકડ કરી છે. તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે રખાયા છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે.
રૂપિયા બનાવ્યા: ગુલબર્ગ હત્યા કાંડમાં પરિવાર ગુમાવનાર ફિરોઝ ખાન પઠાણે કહ્યુ કે, તીસ્તા સેતલવાડે પીડિતો સાથે કરેલી રમત કરી કરી છે. તેણે ગુલબર્ગના પીડિતોની લાગણીઓ સામે રમત રમી છે. ગુલબર્ગ સોસાયટીને મ્યુઝિયમમાં તબદીલ કરવાના નામે રૂપિયા એકઠા કર્યા છે. અને એક પણ ગુલબર્ગના રહીશને રૂપિયા આપ્યા નથી.

