HomeNationalઉદ્ધવ ઠાકરે સાથે ફકત 13 ધારાસભ્યો: સેનાના 42 સહિત 49 MLA સાથે...

ઉદ્ધવ ઠાકરે સાથે ફકત 13 ધારાસભ્યો: સેનાના 42 સહિત 49 MLA સાથે શિંદેનું શક્તિ પ્રદર્શન

મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટમાં હવે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે કયારે રાજયના મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપે તે પ્રશ્ન છે. એક તરફ શિવસેનાના વધુને વધુ ધારાસભ્યો તથા સાંસદો હવે બાગી નેતા એકનાથ શિંદે સાથે જોડાઈ રહ્યા છે. તે સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના માતોશ્રી નિવાસે યોજાયેલી ધારાસભ્યો તથા સાંસદોની બેઠકમાં ફકત 12 ધારાસભ્યો જ હાજર રહેતા ઠાકરે ને મોટો આંચકો લાગ્યો છે અને આ 12 ધારાસભ્ય તથા આદીત્ય ઠાકરે આજે માતોશ્રી બેઠકમાં સામેલ થયા હતા.

સંકટ: શિવસેનાએ તેના તમામ ટોચના પદાધિકારીઓને તાત્કાલીક માતોશ્રી ખાતે પહોચવા આદેશ આપ્યો છે અને માનવામાં આવે છે કે ઉદ્ધવ ઠાકરે હવે ગમે તે ઘડીએ રાજીનામુ આપી દેશે. બીજી તરફ શિંદે જૂથ હવે તેના ટેકેદાર ધારાસભ્યોને ગુવાહાટીથી ગોવા શીફટ કરે તેવી ધારણા અને એક વખત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હવે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ શિવસેનાના સાંસદોમાં પણ હવે ‘બાગી’નું સંક્રમણ પહોંચ્યું છે અને સેનાના 17 જેટલા સાંસદો શિંદે જૂથ સાથે જાય તેવી ધારણા છે.

ઉદ્ધવ ઠાકરે માટે સરકાર બચાવવાના ભાગ્યે જ કોઈ વિકલ્પ છે. આ અગાઉ આજે ગુવાહાટીમાં કેમ્પ કરનાર બાગી નેતા એકનાથ શિંદેએ તેમની સાથે શિવસેનાના 42 તથા 7 અપક્ષોનો ટેકો હોવાના દાવા સાથે એક વિડીયો જાહેર કરીને આ તમામ 49 ધારાસભ્યોની તસ્વીર જાહેર કરીને હવે ઠાકરે કેમ્પને સીધો પડકાર ફેકી દીધો છે. શિવસેનાના 55 માંથી 42 ધારાસભ્યો શિંદે જૂથમાં હોવાથી શિવસેનામાં ભંગાણ નિશ્ચીત બની ગયું છે અને પક્ષાંતર વિરોધી ધારો પણ હવે લાગુ પડશે નહી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW