મોરબીના મણીમંદિર સામે મચ્છું નદી પર આવેલ રાજા શાહી સમયના પુલ પરથી મૂળ ધ્રાંગધ્રાના વતની અને હાલ મોરબી માં રહેતા યશ રમેશભાઈ ચોહાણે આપઘાત કરવાના ઈરાદે કુદકો માર્યો હતો અને બેઠા પુલ પર પટકાયો હતો ઘટનાની રોડ પરથી નીકળતા વાહન ચાલકોએ 108ને જાણ કરતા મોરબી 108ની ટીમના પાયલટ ગૌતમ મકવાણા અને ઇએમટી કલ્પેશ પરમારની ટીમ દોડી ગયા હતા અને યુવકને તાત્કલિક સારવાર આપી જીવ બચાવ્યો હતો જે બાદ વધુ સારવાર માટે યુવકને સીવીલ હોસ્પિટલ ખસેડી સારવાર અપાવી હતી. બનાવને પગલે પાડાપુલ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.યુવાને ક્યાં કારણસર પગલું ભર્યું તે અંગે કોઈ કારણ સામે આવ્યું નથી.

