HomeGujaratCentral Gujaratગાંધીનગરમાં આ રોડનું નામ હીરાબા માર્ગ,

ગાંધીનગરમાં આ રોડનું નામ હીરાબા માર્ગ,

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃ હીરાબા સતાયુ વર્ષના થવા જઈ રહ્યા છે આગામી તારીખ 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત છે તે દિવસે જ તેમનો જન્મ દિવસ આવી રહ્યો છે આ દિવસે વડનગર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે.

નિવાસસ્થાને જશે: આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના નથી પરંતુ સવારે તેઓ ચોક્કસ માતા હીરા બા ના ચરણસ્પર્શ કરવા તેમના ભાઈ પંકજભાઈ મોદીના નિવાસસ્થાને જશે.

100 વર્ષના બા: 18-06-1923 ના દિવસે જન્મેલા હીરાબા શતાયુ વર્ષમા પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી સતાયુ પ્રવેશ નિમિત્તે વડનગર ખાતે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડના પાઠ કેતનભાઇ થામલે શિવ આરાધના અનુરાધા પોડવાલ, ભક્તિ ભજન જીતુભાઈ રાવલ, લોક હાસ્ય ગુણવંતભાઈ ચુડાસમા, સંગીત નિયોજક પંકજભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે સાડા સાત કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW