અંબાજીમાં અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરને સોનાના મુગટનું દાન મળ્યું છે. યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર છે ત્યારે ભક્તો દ્વારા સોનાનું દાનનો અવિરત પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના ભક્ત: માઈ ભક્તે 118.75 ગ્રામનો મુગટ આપ્યો છે જેની કિમંત રૂપિયા 5 લાખ 52 હજાર છે. માં અંબાના અમદાવાદના ભક્તે સોનાના મુગટનું દાન કર્યું છે.

મોટું દાન: માનો ભંડારો પણ ભક્તોએ છલકાયો છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અંબાજી મંદિરમાં 4 કરોડ 24 લાખનું દાન આવ્યું છે ત્યારે અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવા માટે 1 કિલો અને 937 ગ્રામ સોનાનો પણ દાન મળ્યું છે અંબાજી મંદિરમાં ભક્તો એ 85 કિલો ચાંદીનો પણ દાન કર્યું છે.

