HomeGujarat6 વર્ષના બાળકોને જ પહેલા ધોરણમાં અપાશે પ્રવેશ, નિર્ણય ઉપર સુપ્રિમની મહોર

6 વર્ષના બાળકોને જ પહેલા ધોરણમાં અપાશે પ્રવેશ, નિર્ણય ઉપર સુપ્રિમની મહોર

કેન્દ્રીય વિદ્યાલયના પહેલા ધોરણમાં પ્રવેશ આપવા માટે લઘુતમ વય મર્યાદા 6 વર્ષની જ રહેશે. સુપ્રિમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના નિર્ણય ઉપર મહોર મારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેવીએસના આ નિર્ણયને હાઈકોર્ટ અને પછી સુપ્રિમ કોર્ટમાં પડકારાયો હતો.

જજ સંજય કિશન કૌલ અને જજ એમએમ સુંદરેશની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના 11 એપ્રિલના નિર્ણયને પડકારતા અરજી ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યુ કે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો હતો તેની ઉપર અમારી પણ સંમતિ છે. કેવીએસએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ તર્ક આપ્યો હતો કે ધોરણ 1 માં પ્રવેશ માટે લઘુતમ વય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર વધારવામાં આવી છે. કેવીએસએ આ તર્કનુ પણ ખંડન કર્યુ કે નિર્ણય શિક્ષણના અધિકાર અધિનિયમનુ ઉલ્લંઘન કરે છે.

દિલ્હી હાઈકોર્ટમાં કાર્યવાહક મુખ્ય જજ વિપિન સાંઘીની અધ્યક્ષતાવાળી એક બેન્ચે યુકેજીની પાંચ વર્ષીય વિદ્યાર્થીની તે અપીલને ફગાવી દીધી હતી જેમાં એકલ જજના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો. એકલ જજએ વિદ્યાર્થીની તે અરજીને ફગાવી દીધી હતી જેમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે લઘુતમ વર્ષ પહેલાની જેમ પાંચ વર્ષ કરવાની વિનંતી કરવામાં આવી હતી. જજ રેખા પલ્લીએ 11 એપ્રિલએ કેન્દ્રીય વિદ્યાલયમાં આગામી શૈક્ષણિક સત્ર માટે ધોરણ એકમાં પ્રવેશને લઈને લઘુતમ વય છ વર્ષના માનદંડને પડકાર આપનારી અરજીઓને ફગાવી દીધી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW