HomeGujaratગીરમાં સિંહો માટે જંગલમાં પાણીના 500 પોઈન્ટો કરાયા તૈયાર

ગીરમાં સિંહો માટે જંગલમાં પાણીના 500 પોઈન્ટો કરાયા તૈયાર

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી આકરી ગરમી પડી રહી છે. ત્યારે ગીર અભ્યારણમાં રહેતા એશિયાટીક સિંહો સહિતના અબોલ વન્યપ્રાણીઓ માટે વનવિભાગે 500થી પાણીના પોઈન્ટ તૈયાર કરાયા છે. આ પોઈન્ટોમાં ટેન્કર, પવનચક્કી તથા સોલાર મારફતે પાણી ભરવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી પડી રહી છે. જેમાં ગીર અભ્યારણ જંગલમાં રહેતા એશિયાટીક સિંહો સહિતના હજારો અબોલ વન્યપ્રાણીઓ પણ આ સમસ્યાથી બાકાત નથી. વન વિભાગ દ્વારા ઉનાળાના સમયગાળામાં ગીર અભ્યારણ જંગલમાં વસતા વન્ય પ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે ગીર જંગલમાં જુદા જુદા સ્થળોએ 500 થી વધુ પાણીના પોઇન્ટો તૈયાર કરવામાં આવ્યા છે. આ પોઇન્‍ટોમાં ટેન્કર, પવનચક્કી અને સોલાર મારફતે પાણી ભરવામાં આવે છે. જેથી આ પાણીના પોઇન્ટો પર સિંહ સહિતના વન્ય જીવો પોતાની તરસ છીપાવવા આવતા હોય છે. જેથી આ વ્‍યવસ્‍થા વન્‍યપ્રાણીઓ માટે આર્શિવાદરૂપ સમાન સાબિત થઇ રહી છે.

એશિયાટીક સિંહોના ગઢ એવા સાસણગીર અભ્યારણ જંગલ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ નાના મોટા વોકળા અને નદી-નાળાઓ સુકાવા લાગે છે. એવા સમયે ઘોમધખતા તડકા અને ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ માટે તરસ છીપાવવા માટે જંગલ વિસ્‍તારમાં પાણી ગોતવું કઠીન બની જાય છે. જેથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સાસણગીર જંગલ વિસ્‍તારમાં વન વિભાગ દ્વારા અબોલ સહિં સહિતના વન્ય પ્રાણીઓને કૃત્રિમ રીતે પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW