HomeNationalજે રીતે કાશ્મીરમાંથી 370 દૂર કરી એમ POKને પણ સરકાર આઝાદ કરાવાશેઃ...

જે રીતે કાશ્મીરમાંથી 370 દૂર કરી એમ POKને પણ સરકાર આઝાદ કરાવાશેઃ કેન્દ્રીયમંત્રી

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર તેના વચનને વળગી રહેશે અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POJK) ને સ્વતંત્ર બનાવીને ભારતનો ભાગ બનાવશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું કોઈ વિચારી પણ ન શકે, પરંતુ સરકારે તે કર્યું. એ જ રીતે, સરકાર POJK ને ભારતનો અભિન્ન અંગ બનાવશે.

વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જમ્મુની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેઓ ત્યાં કઠુઆ જિલ્લામાં મહારાજ ગુલાબ સિંહની 20 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવા માટે ગયા હતા. જિતેન્દ્ર સિંહે કહ્યું- ‘સરકારે 1994માં એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરના જે વિસ્તારો પાકિસ્તાને કબજામાં લીધા છે, તેમને તરત જ ખાલી કરવામાં આવે. અમારી જવાબદારી છે POJK ને મુક્ત બનાવવાની. જ્યારે અમે કલમ 370 નાબૂદ કરવા વિશે કહ્યું, તે ઘણા લોકોની કલ્પનાની બહાર હતું. પરંતુ ભાજપ સરકારે પોતાનું વચન નિભાવતા તેને હટાવી દીધી. એ જ રીતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષ 1980માં ભવિષ્યવાણી કરી હતી કે અહીં પાર્ટી બહુમત સાથે જીતશે, એવું કોઈએ વિચાર્યું પણ ન હતું. આ પહેલીવાર નથી જ્યારે ભાજપના કોઈ નેતાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવાનું વચન આપ્યું હોય. ગયા મહિને રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને કહ્યું હતું કે પીઓકે યોગ્ય સમયે ભારતનો એક ભાગ બની જશે. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે મોદી સરકાર વિકાસ કાર્યોના આધારે જમ્મુ-કાશ્મીરનો ચહેરો એ રીતે બદલી નાખશે કે પીઓકેના લોકો ભારતનો ભાગ બનવાની માંગ કરવા લાગશે.

જિતેન્દ્ર સિંહે ખીણમાંથી કાશ્મીરી પંડિતોની સ્થળાંતર પર આધારિત 1990ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીકા કરવા બદલ નેશનલ કોન્ફરન્સ પર પ્રહારો કર્યા અને દાવો કર્યો કે 1987ની વિધાનસભા ચૂંટણીમાં ‘ગોટાળા’ને કારણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો વિકાસ થયો હતો. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શુક્રવારે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ઉપજાવી કાઢેલી ગણાવી અને કહ્યું કે આ ફિલ્મમાં ઘણી ખોટી વાતો કહેવામાં આવી છે. તેમણે કહ્યું કે ફિલ્મ નિર્માતાઓએ દાવો કર્યો છે કે આ ફિલ્મ વાસ્તવિકતા પર આધારિત છે, પરંતુ સત્ય એ છે કે આ ફિલ્મમાં ઘણાં જુઠ્ઠાણા બતાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW