હોળી પર્વે જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને અબીલ ગુલાલ અને ગુલાબનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ દર્શનનો લાભ કરીને ભાવિકો અને દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. સાંજે મંદિર પરીસરમાં હોળી પ્રગટાવવામાં આવી હતી.
श्री सोमनाथ महादेव मंदिर,
— Shree Somnath Temple (@Somnath_Temple) March 17, 2022
प्रथम ज्योतिर्लिंग – गुजरात (सौराष्ट्र)
दिनांकः 17 मार्च 2022, फाल्गुन शुक्ल चतुर्दशी – गुरुवार
सायं शृंगार
03220976 pic.twitter.com/rXDyI3N0Fh
રંગોના તહેવાર હોળી-ઘુળેટી પર્વની ભોળાનાથના સાનિધ્યમાં આસ્થાભેર ઉજવણી થશે. આજે હોળીના દિવસે સવારે સોમનાથ મહાદેવને પ્રાતઃ આરતી સમયે અબીલ ગુલાલ અને ગુલાબનો વિશિષ્ટ અલોકીક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન સોમનાથને કરાયેલા આ દિવ્ય શણગાર અને આરતીના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. જ્યારે બપોરે મધ્યાહ્નન પૂજા અને આરતી કરવામાં આવી આવશે અને સાંજે સાય પૂજન આરતી કરવામાં આવશે.
श्री सोमनाथ महादेव मंदिर,
— Shree Somnath Temple (@Somnath_Temple) March 17, 2022
प्रथम ज्योतिर्लिंग – गुजरात (सौराष्ट्र)
दिनांकः 17 मार्च 2022, फाल्गुन शुक्ल चतुर्दशी – गुरुवार
प्रातः शृंगार
03220965 pic.twitter.com/pvtKS0in3q
સાંજે 8:30 વાગ્યે મંદિર પરીસરમાં હોલીકા પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવશે તેમ મંદિરના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતું. આજે અને આવતીકાલે બે દિવસ તહેવારના રજાના દિવસો હોવાથી યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટશે તેવી આશા મંદિર ટ્રસ્ટના અધિકારી અને સ્થાનીક લોકો વ્યક્ત કરી રહ્યા છે. આજે સવારથી ધીમો યાત્રાળુઓનો પ્રવાહ પણ સોમનાથ આવી રહ્યાનું જોવા મળી રહ્યુ હતુ.

