નેશનલ હાઈવે નંબર 27 પર કચ્છથી મોરબી તરફ આવતા માર્ગ પર માળિયા તાલુકાના હરીપર ગામ નજીક જીજે 07 વાય ઝેડ 6817 નંબરની વોલ્વ મોરબી તરફ આવતી હતી. તે દરમિયાન જીજે 12 બી ડબ્લ્યુ 7544 નંબરના ટ્રકે પાછળથી એસટીને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એસટી બસને નુકશાન પહોચ્યું હતું સદનસીબે જાન હાની થઇ ન હતી. બનાવ અંગે બસના ડ્રાઈવર મયુરસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાએ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.આ અંગે હેડ કોન્સટેબલ જી પી મારુનીયા તપાસ ચલાવી રહ્યા છે

