HomeGujaratક્રિકેટ ફેન્સને ન ગમ્યું ગાવસ્કરનું વોર્ન અંગેની આ વાત,કહ્યું મહાન સ્પીનર નથી

ક્રિકેટ ફેન્સને ન ગમ્યું ગાવસ્કરનું વોર્ન અંગેની આ વાત,કહ્યું મહાન સ્પીનર નથી

ઓસ્ટ્રેલિયા ક્રિકેટના ચાહકો ભારતીય ક્રિકેટર ગાવસ્કર પર ગુસ્સે ભરાયા છે. ગાવસ્કરે કહ્યું હતું કે ભારતીય ટીમ સામે શેન વોર્નને એટલી સફળતા મળી નથી જેટલી મુરલીધરનને મળી હતી.ભારતના મહાન દિગ્ગજ સુનીલ ગાવસ્કર ખૂબ જ કડક ટીકાકાર છે. જો તે કંઈક કહે છે, તો તેની પાછળ તેનો પોતાનો ખૂબ નક્કર તર્ક છે. પછી તેની ટિપ્પણીને કેવી રીતે લેવામાં આવે છે તેની જરાય ચિંતા પણ નથી કરતા.

તે પોતાનો પક્ષ રજૂ કરવામાં કદી પાછળ રહેતા નથી. થોડા દિવસો પહેલા, ગાવસ્કરે મુથૈયા મુરલીધરન અને અનિલ કુંબલેની નીચે દિવંગત મહાન લેગ-સ્પિનર અંગે વાતચીત કરી હતી. હવે સોશિયલ મીડિયા અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ફેન્સ આને લઈને ગાવસ્કર પર ખરાબ રીતે ગુસ્સે થયા છે. ગાવસ્કરે કહ્યું હતું કે ભારતીય ટીમ સામે શેન વોર્નને એટલી સફળતા મળી નથી. જેટલી મુરલીધરનને મળી હતી. ગાવસ્કરે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તમે ભારત સામે શેન વોર્નનો રેકોર્ડ જુઓ છો. તે બહુ ખરાબ છે. ગાવસ્કરેએ કહ્યું હતું કે વોર્ને ભારત સામે માત્ર એક જ વાર નાગપુરમાં પાંચ વિકેટ લીધી છે. અને આવું એટલા માટે પણ થયું કારણ કે ઝહીર ખાને છેલ્લે રમવા માટે આવેલો હતો. પણ ક્રિઝ પર સીધા શોટ રમવાના હતા. પણ તે ગમે તેમ શોટ મારવા લાગ્યો હતો. ગાવસ્કરે કહ્યું કે હવે વોર્નને ભારતીય બેટ્સમેનો સામે બહુ સફળતા મળી નથી જેઓ સ્પિનર તરીકે સારી રીતે રમ્યા છે. તો હું તેને મહાન સ્પિનર ન કહી શકું. આ કિસ્સામાં, હું વોર્ન કરતાં મુરલીધરનને આગળ રાખીશ.

જણાવી દઈએ કે ભારત વિરૂદ્ધ રમાયેલી 14 ટેસ્ટ મેચમાં વોર્ન માત્ર 43 વિકેટ લઈ શક્યો હતો. ભારત એકમાત્ર એવો દેશ રહ્યો જ્યાં વોર્નની બોલ સાથે એવરેજ 30.00 થી વધુ હતી. જ્યારે મુરલીધરને 32.16ની એવરેજથી 105 વિકેટ લીધી છે. ચોક્કસ, તર્કની કસોટી પર ગાવસ્કર તેમની જગ્યાએ સાચા છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ફેન્સની એની આ વાત અને વાત પાછળનું લોજિક પંસદ પડ્યું નથી. જેના કારણે તેઓ ગાવસ્કર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. જોકે, ઘણી એવી મેચ રહી છે જેમાં વોર્નની ઓવરમાં સચીને તોફાની બેટિંગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW