મોરબી જીલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટાડો નોધાઈ રહ્યો છે.બુધવારે 825 દર્દીના સેમ્પલ લઇ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાંથી માત્ર ૩ દર્દી કોરોના પોઝીટીવ કેસ આવ્યા હતા. આ 3 પોઝીટીવ કેસમાં હળવદમાં 2 કેસ જયારે ટંકારામાં એક કેસ આવ્યો હતો મોરબી માળિયા કે ટંકારામાં કેસ નોધાયો ન હતો બીજી તરફ 6 દર્દી સ્વસ્થ થયા હતા 6 દ્દર્દીમાં મોરબીમાં 5 અને વાકાનેર 1 કેસ આવ્યો હતો.મોરબીમાં આજદિન સુધીમાં 504550 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવમાં આવ્યા હતા જેમાંથી આજદિન સુધીમા 10,741 પોઝીટીવ કરવામાં આવ્યા હતા.જેમાંથી 10368 દર્દી સ્વસ્થ થયા હતા.જયારે 95 દર્દીના મોત થયા છે તો 24 દર્દી સારવાર લઇ રહ્યા છે.

