હળવદ તાલુકાના મયુરનગર ગામમાં રહેતી સરોજબેન નિકુલભાઈ નામની પરણીતાએ સાસુ સસરા તેમજ પતિના ત્રાસથી કંટાળી જઈ ઘરમાં જ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો આ બનાવમાં મૃતકના પિતા માવજીભાઈ મુળજીભાઈએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે અને જણાવ્યું હતું કે તેની દીકરી સરોજના ચાર વર્ષ પહેલાં મયુરનગરના નિકુલભાઈ હીરજીભાઈ સાથે થયા હતા અને અવારનવાર સાસુ વસંતબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈ દહેજના કારણે મહેણાં ટોણા મારતા હતાં જેથી કરીને સરોજને લાગી આવતા તેને સાસરામાં મયુરનગર ખાતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કર્યો હતો પરણીતાના આપઘાત પ્રકરણમાં હળવદ પોલીસે મૃતકના પતિ નીકુલ હીરજીભાઈ તેમજ સસરા હીરજીભાઈ અમરશી ભાઈને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

