HomeGujaratCentral Gujaratહવે લગ્નસમારંભોમાં માત્ર 150 વ્યક્તિઓની જ પરવાનગી, રાજ્ય સરકારે લીધો આ નિર્ણય

હવે લગ્નસમારંભોમાં માત્ર 150 વ્યક્તિઓની જ પરવાનગી, રાજ્ય સરકારે લીધો આ નિર્ણય

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના 7476 જેટલા કેસો નોંધાયા છે. કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તા. 12 ફેબ્રુઆરીથી તા. 22 ફેબ્રુઆરી સુધી રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક મેળાવડાઓમાં150 વ્યક્તિઓને જ પરવાનગી આપી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW