HomeGujaratમહેશ સવાણીએ દીકરીના ભવ્ય લગ્ન બાદ હનિમુનનું આયોજન કરી દીધું, 11 દિવસ...

મહેશ સવાણીએ દીકરીના ભવ્ય લગ્ન બાદ હનિમુનનું આયોજન કરી દીધું, 11 દિવસ અહીં જશે યુગલ


દીકરીઓના પિતા તરીકે જાણીતા મહેશ સવાણી છેલ્લા ઘણા વર્ષોથી માતા પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવીને સંસાર શરૂ કરાવે છે. કોરોનાના કપરા કાળ બાદ પણ તેમણે ગત લગ્ન સીઝનમાં દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. હવે નવદંપતિ માટે હનિમુનનું આયોજન કરી આપ્યું છે. છેલ્લા તેમણે કુલ 300 દીકરીઓના લગ્નનું આયોજન કર્યું હતું. તા.3 અને 4 ડીસેમ્બરના રોજ આ દીકરીઓ માટે રોયલ વેડિંગ યોજાયા હતા.

હનિમૂનના આયોજનના ભાગરૂપે ઘણા બધા યુગલનું ગ્રૂપ સુરતથી મનાલી જવા માટે રવાના થયું હતું. આ પ્રવાસની શરૂઆત પણ સવાણી ગ્રૂપ તરફથી કરી દેવામાં આવી હતી. મહેશ સવાણીએ આ ગ્રૂપને સુરત રેલવે સ્ટેશનથી આવજો કહ્યું હતું. આ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. મહેશ સવાણીએ આમાંથી કેટલાક ફોટો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યા છે. આ તસવીરમાં દરેક યુગલ ખુશખાશલ જોવા મળ્યા છે. 40 દીકરીઓનું ગ્રૂપ સુરતથી મનાલી જવા માટે રવાના થયું હતું. આ ગ્રૂપમાં રહેલા દરેક સભ્યોએ કોવિડની મારક વેક્સીનના તમામ ડોઝ લીધેલા છે.

બપોરના સમયે આ ગ્રૂપને સુરતથી રવાના કરવામાં આવ્યું હતું. આ અંગે મહેશ સવાણીએ કહ્યું કે, ચુંદડી મહિયરની પ્રસંગમાં આવેલી 40 દીકરીઓ આજે સુરતથી મનાલી જવા માટે રવાના થશે. કુલ્લુ મનાલીમાં 12 દિવસના પ્રવાસનું આયોજન કરાયું છે. બે દિવસ જતા અને બે દિવસ આવતા થશે, આઠ દિવસમાં ગ્રૂપ મનાલીના સાઈટ સીન અને હાલમાં જે હિમવર્ષા થઈ રહી છે એને એન્જોય કરશે. મારી દીકરી સાથે જમાઈ પણ આનંદ માણશે. આ ગ્રૂપે વેક્સીનના બંને ડોઝ લીધેલા છે.


આ સાથે એક મેડિકલ કિટ, જુદી જુદી જ્ઞાતિ અને ધર્મના ડૉક્ટર પણ જમાઈ સાથે છે. ડૉક્ટરની એક ટીમ એની સાથે જ જઈ રહી છે. તા.5 જાન્યુઆરીથી આ પ્રવાસની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રવાસમાં મનાલીની આસપાસના દરેક સાઈટ સીન આવરી લેવાયા છે. આ પ્રકારના આયોજન બદલ સર્વત્ર સવાણી ગ્રૂપની એક ઉમદાકાર્ય હેતું ચર્ચા થઈ રહી છે. કોવિડને કારણે બે વર્ષ સુધી કોઈ લગ્નનું આયોજન થઈ શક્યું ન હતું. પણ ગત સીઝનમાં રોયલ વેડિંગ પૂરા થતા હવે યુગલ હનિમુન કરવા માટે સુરતથી રવાના થઈ ચૂક્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW